August 31, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Navsari Khergam

ખેરગામના નાંધઈ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીના મેળામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ખેરગામના નાંધઈ ગામમાંથી પસાર થતી ઔરંગા નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પવિત્ર અવસરે અહીં ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકો સહિત દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

મેળામાં આવતા લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે ખેરગામ મિત્ર મંડળના જગદીશભાઈ પટેલ, રણજીતભાઈ પટેલ, અને હર્ષદભાઈ પટેલ સહિતના યુવાનોએ સેવાભી કાર્ય હાથ ધર્યું હતું. આ ટીમે મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે મિનરલ વોટરના પરબની વ્યવસ્થા કરી હતી, જેની મુલાકાતીઓએ ખૂબ પ્રશંસા કરી હતી. મેળામાં વિવિધ ખાણી-પીણીની વાનગીઓ અને મનોરંજન માટે ચકડોળ તેમજ વિવિધ રાઈડ્સનું પણ આયોજન કરાયું હતું, જે બાળકો અને મોટેરાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ઔરંગા નદીના કિનારે ભક્તિ અને મેળાનો સંગમ

નાંધઈના ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે મહાશિવરાત્રી પર ભવ્ય મેળો ભરાય છે. આ વર્ષે પણ ઔરંગા નદીના પટમાં લોકોએ સ્નાન કરી ભગવાન શિવનો જલાભિષેક કર્યો હતો. શ્રદ્ધાળુઓએ શિવ-પાર્વતી વિવાહની ઉજવણીના ભાગરૂપે વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ પર દૂધ, મધ અને પવિત્ર જળનો અભિષેક કરવામાં આવ્યો હતો. ભક્તોએ અહીં ઘી ના કમળ ના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ વિશેષ શણગાર જોવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

ખેરગામ તાલુકાના અન્ય શિવાલયોમાં પૂજન-અર્ચન

માત્ર નાંધઈ જ નહીં, પરંતુ સમગ્ર ખેરગામ તાલુકામાં શિવરાત્રીની રોનક જોવા જેવી હતી. તાલુકાના શનિદેવ મંદિર, ગરગડિયા શિવજી, અને આછવણી સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરે પણ સવારથી જ ભક્તોનો ભારે ઘસારો રહ્યો હતો. આ ઉપરાંત રામેશ્વર મહાદેવ, શલૈશ્વર મહાદેવ અને તડકેશ્વર મહાદેવ જેવા વિવિધ શિવાલયોમાં પણ અભિષેક અને આરતીના કાર્યક્રમો યોજાયા હતા. શિવરાત્રી નિમિત્તે અનેક જગ્યાએ ભાંગના પ્રસાદ અને ફરાળી ભોજનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ખેરગામ મિત્ર મંડળ દ્વારા જે રીતે પાણીની સેવા પૂરી પાડવામાં આવી, તેનાથી ઉનાળાની શરૂઆતમાં મેળાની મજા માણવા આવેલા હજારો લોકોને મોટી રાહત મળી હતી. મોડી રાત સુધી ચાલેલા આ મેળામાં સુરક્ષાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

#ખેરગામ #નાંધઈ #ગુપ્તેશ્વર_મહાદેવ #મહાશિવરાત્રી #મેળો #નવસારી_ન્યૂઝ #શિવભક્તિ #ગુજરાત_સમાચાર


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

One thought on “ખેરગામના નાંધઈ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીના મેળામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *