September 4, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Kaprada Dharampur Vapi

ધરમપુર અને વાપીમાં જનસમસ્યાનો પહાડ: બ્રિજ બંધ થતા હાલાકી અને ટ્રાફિકના ત્રાસથી જનતા પરેશાન | Dharampur Bridge Closure and Vapi Traffic Chaos Spark Public Outcry

ધરમપુર અને વાપીમાં જનસમસ્યાનો પહાડ: બ્રિજ બંધ થતા હાલાકી અને ટ્રાફિકના ત્રાસથી જનતા પરેશાન | Dharampur Bridge Closure and Vapi Traffic Chaos Spark Public Outcry

 

દક્ષિણ ગુજરાતના ધરમપુર અને વાપી વિસ્તારમાં હાલમાં અનેક જન સમસ્યાઓ માથાના દુખાવા સમાન બની રહી છે. ધરમપુર તાલુકામાંથી પસાર થતા વાંસદા માર્ગ પર આસુરા અને કરંજવેરી વચ્ચે માન નદી પર આવેલો બ્રિજ લાંબા સમયથી ભારે વાહનો માટે બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ બ્રિજની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેની મજબૂતાઈનું પરીક્ષણ કરવાની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી છે. આસુરા બ્રિજ અને આંબાતલાટ બ્રિજ પરથી ભારે વાહનો અને એસટી બસો બંધ હોવાથી સૌથી મોટી મુશ્કેલી વિદ્યાર્થીઓને પડી રહી છે, જેમને અભ્યાસ અર્થે અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે આ અંગે રજૂઆત કરતા જણાવ્યું છે કે, બ્રિજની બંને તરફના વેપાર-ધંધા પણ પડી ભાંગ્યા છે અને વાહનોનું ભારણ ખેરગામ અને વલસાડ માર્ગ પર વધ્યું છે. તંત્રએ વહેલી તકે બ્રિજનું પરીક્ષણ પૂર્ણ કરી તેને લોકો માટે ખુલ્લો મુકવો જોઈએ.

ધરમપુર નગરની અંદરની સમસ્યાઓની વાત કરીએ તો વાલોડ ફળિયામાં આવેલી તાલુકા પંચાયત કચેરી સામેનો મુખ્ય માર્ગ હાલમાં અકસ્માત ઝોન જેવો બની ગયો છે. રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા આસુરા વાવ રોડ પર વાહનોની ગતિ બેફામ હોય છે. સ્થાનિક રહીશ વિજય અટારાના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર તાલુકા પંચાયત, માર્ગ અને મકાન વિભાગની કચેરીઓ તેમજ નવી બનેલી નૂતન લાઈબ્રેરી આવેલી હોવાથી અહીં અરજદારો અને વાંચકોની સતત ભીડ રહે છે. સવાર-સાંજ વોકિંગ કરતા વડીલો અને બાળકોની સુરક્ષા માટે અહીં સ્પીડબ્રેકર, રમ્બલ સ્ટ્રીપ અને કેટ આઈ લગાવવી અત્યંત અનિવાર્ય બની છે. આ વ્યસ્ત માર્ગ પર દ્વિચક્રીય અને રિક્ષાઓની અવરજવર વધુ હોવાથી તંત્રએ સત્વરે સર્વે કરી સલામતીના પગલાં લેવાની જરૂર છે.

વાપી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. એક તરફ ઓવરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે મુખ્ય માર્ગો સાંકડા બની ગયા છે. આ પરિસ્થિતિમાં બેફામ બનેલા રિક્ષા ચાલકો ટ્રાફિકમાં બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. વાપી પૂર્વના ગીતાનગર રોડ, જૂના ફાટકથી વલસાડ રોડ અને સેલવાસ રોડ પર રિક્ષાઓનો રાફડો ફાટ્યો છે. રિક્ષા ચાલકો પેસેન્જર ભરવા માટે મુખ્ય માર્ગની વચ્ચે જ રિક્ષા ઉભી રાખી દેતા હોવાથી કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. વાપી પશ્ચિમમાં પણ સ્ટેશન રોડ, એમજી રોડ, સરદાર ચોક અને ઝંડા ચોક સુધી રિક્ષાઓના અતિક્રમણને કારણે રાહદારીઓને ચાલવાની પણ જગ્યા બચી નથી.

સ્થાનિક નાગરિક અતિક શાહના જણાવ્યા મુજબ, પોલીસ તંત્ર રિક્ષા ચાલકોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોઈ ચોક્કસ રિક્ષા સ્ટેન્ડ કે કડક નિયમોના અભાવે રિક્ષા ચાલકો મનસ્વી રીતે વર્તે છે. ટ્રાફિક પોલીસ માત્ર દંડ વસૂલવા પૂરતી સીમિત ન રહીને વાસ્તવિક ટ્રાફિક મેનેજમેન્ટ કરે તેવી માંગ ઉઠી છે. ધરમપુરના જર્જરિત બ્રિજ હોય કે વાપીનો ટ્રાફિક ત્રાસ, લોકો હવે તંત્ર પાસે નક્કર અને ઝડપી કાર્યવાહીની આશા રાખી રહ્યા છે. જો સમયસર આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં જનતાનો આક્રોશ વધુ ઉગ્ર બની શકે છે. શહેરના વિકાસ માટે માત્ર નવા પ્રોજેક્ટ્સ પૂરતા નથી, પરંતુ હયાત માળખાકીય સુવિધાઓની જાળવણી અને સુવ્યવસ્થિત ટ્રાફિક સંચાલન પણ એટલું જ જરૂરી છે.

#ધરમપુર #વાપી #જનસમસ્યા #ટ્રાફિકજામ #ગુજરાતસમાચાર #વલસાડ #બ્રિજ #રિક્ષાચાલક #લોકપ્રશ્ન #તંત્રનીબેદરકારી #DharampurNews #VapiTraffic #PublicIssue #BridgeSafety #VapiUpdates #ValsadNews #GujaratTraffic #CitizenVoice #InfrastructureIssues #VapiGIDC #RoadSafety #LocalNewsGujarat #VapiRailwayStation


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *