ભીલાડ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે સરીગામ યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંઘ પ્રદેશ દમણના સાંસદ ઉમેશ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ભીલાડ સ્ટેશનથી સરીગામ GIDC, સેલવાસ, મહારાષ્ટ્રના તલાસરી અને ઉમરગામ તાલુકાના અનેક ગામોના હજારો શ્રમિકો દૈનિક અવરજવર કરે છે. સરીગામના અગ્રણી હેમાંકુશ ભાઈ ભાટકર અને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાથે સાંસદને મળીને ટ્રેન નંબર 12921/22 (ફ્લાઈંગ રાણી) અને ટ્રેન નંબર 12935/36 ને ભીલાડ સ્ટેશન પર સ્ટોપેજ આપવાની માંગ કરી છે. ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પશ્ચિમ રેલવે દ્વારા…
Read MoreAuthor: TeamLokGujarati
વલસાડ સાંસદની રેલમંત્રી સાથે મુલાકાત: ઉમરગામ-સંજાણ માટે નવી ટ્રેનો અને સ્ટોપેજની માંગ
વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદ ધવલ પટેલે વલસાડ અને ઉમરગામ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં કામ કરતા હજારો શ્રમિકો અને દૈનિક મુસાફરોની સુવિધા માટે નવી ટ્રેનો શરૂ કરવા તેમજ લાંબા અંતરની ટ્રેનોને સ્થાનિક સ્ટેશનો પર સ્ટોપેજ આપવાની માંગણીઓ રજૂ કરી છે. ખાસ કરીને ઉમરગામ (UBR) સ્ટેશન પર ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ (12921/12922), અવધ એક્સપ્રેસ (19037/19038) અને રાણકપુર એક્સપ્રેસ (14707/14708) જેવી મહત્વની ટ્રેનો ઉભી રાખવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. સાંસદ ધવલ પટેલે રેલમંત્રીનું…
Read Moreવલસાડમાં 42 ફૂટ ઊંચાઈએથી યુવાનોએ કર્યું સાહસિક રેપેલિંગ: 7 વર્ષના માધવે આકર્ષ્યું ધ્યાન
વલસાડમાં પ્રકૃતિ સંરક્ષણ ટ્રસ્ટ ‘નેચર ક્લબ’ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે એક સાહસિક રેપેલિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં વલસાડના યુવાનોએ ત્રણ માળની ઈમારતના ટેરેસ પરથી, એટલે કે અંદાજે 42 ફૂટની ઊંચાઈએથી 90 ડિગ્રીની ઊભી દિવાલ પર રેપેલિંગ કરીને પોતાની હિંમતનું પ્રદર્શન કર્યું હતું. આ એડવેન્ચર ઈવેન્ટમાં સૌથી નાની વયના સાહસિક તરીકે 7 વર્ષનો બાળક માધવ પટેલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેણે અત્યંત આત્મવિશ્વાસ સાથે આ પડકાર પૂર્ણ કર્યો હતો. કાર્યક્રમમાં સૌથી વયસ્ક સહભાગી તરીકે નેચર ક્લબ વલસાડના પ્રમુખ 42 વર્ષીય પ્રિતેશ પટેલ જોડાયા હતા.…
Read Moreવલસાડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ પાલિકાની તવાઈ: 75 કિલો જથ્થો જપ્ત કરી 14 હજારથી વધુનો દંડ વસૂલ્યો
વલસાડ નગરપાલિકા દ્વારા સરકારની કડક સૂચના અને ગાઈડલાઈન બાદ શહેરના વિવિધ બજારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ વિરુદ્ધ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પાલિકાની ટીમે કુલ 75 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ ₹14,700નો દંડ વસૂલ્યો હતો. પાલિકાની SWM (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) શાખાના ઈજનેર અને આરોગ્ય શાખાના કર્મચારીઓની સંયુક્ત ટીમે શહેરના મુખ્ય વેપારી મથકો એવા શાકભાજી માર્કેટ, છીપવાડ, એમજી રોડ અને કાપડિયા ચાલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પાલિકાની આ ઓચિંતી કાર્યવાહીને પગલે શહેરના વેપારીઓમાં ભારે ફફડાટ…
Read Moreવલસાડમાં પાલિકાની નિષ્ક્રિયતા વચ્ચે યુવાનોનું શ્રમદાન: રેલવે અન્ડરપાસમાં પાણી ભરાતા જાતે ખાડા પૂર્યા
વલસાડ શહેરના મોગરાવાડી, પારડીસાંઢપોર અને અબ્રામા વિસ્તારના હજારો લોકો માટે અત્યંત મહત્વના એવા ક્રમાંક 329 રેલવે અન્ડરપાસમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે હાલાકી જોવા મળી રહી છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોના કોચમાં પાણી ભરવાની પાઇપલાઇનમાં ભંગાણ પડતાં અન્ડરપાસમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વલસાડ નગરપાલિકાના શાસકો અને સ્થાનિક નગરસેવકોની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે, આખરે અબ્રામાના યુવાન રતનસિંહ અને તેમના સાથી મિત્રોએ કોઈ પણ રાજકીય અપેક્ષા વિના રાત્રે 10 વાગ્યે તગારા અને પાવડા લઈ ખાડા પૂરવાની કામગીરી કરી હતી. આ અન્ડરપાસ પરથી ટપકતા પાણીને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા…
Read Moreપારનેરા પારડીમાં નહેરના પાણી ખેતરોમાં ફરી વળતા પાયમાલી: ખેડૂતોના લાખોના પાકને ભારે નુકસાન
વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામમાં ગત રાત્રિએ સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નહેરમાં કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના અચાનક પાણી છોડી દેવામાં આવતા અંદાજે 40 થી 50 ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. રાત્રિના અંધકારમાં નહેરનું પાણી ખેતરોમાં ફરી વળતા ટામેટા, મરચા અને અન્ય શાકભાજીના તૈયાર ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતને કારણે દરેક ખેડૂતને અંદાજે ₹1.5 લાખથી ₹2 લાખ સુધીનું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પારનેરા પારડીના ખેડૂતોના જણાવ્યા અનુસાર, અંબિકા નહેરની છેલ્લા ચાર-પાંચ વર્ષથી કોઈ મરામત કે…
Read Moreદમણથી રિક્ષામાં દારૂ લાવી ઉદવાડાથી ટ્રેન મારફતે સપ્લાય કરવાનું નેટવર્ક ઝડપાયું: 5ની ધરપકડ
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પારડી તાલુકાના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક આવેલા રેંટલાવ ગામ પાસે દારૂના મોટા જથ્થા સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. બુટલેગરો દમણથી રિક્ષામાં દારૂનો જથ્થો લાવીને ઉદવાડા સ્ટેશનથી ટ્રેન મારફતે સુરત અને નવસારી પહોંચાડવાની ફિરાકમાં હતા. પોલીસે સ્થળ પરથી સંજય ઉર્ફે ભયૌ (રહે. ઉદવાડા સોળ ફળીયા), મિનેષ માહયાવંસી (રહે. પારડી સરોધી), અભિષેક સોનકર (રહે. વલસાડ મોગરાવાડી), અજીતકુમાર સોનકર (રહે. વલસાડ મોગરાવાડી) અને રામલખન સોનકર (રહે. ઓરવાડ પરીયા) ની ધરપકડ કરી છે. આ સફળ રેઇડ દરમિયાન પોલીસે 3 રિક્ષા અને કુલ 1948 નંગ દારૂની બોટલો,…
Read Moreવાપીમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ: વસ્ત્રાપુરની ટીમે ફાઈનલમાં બાજી મારી
વાપીના જી. એમ. બિલખિયા સ્ટેડિયમ ખાતે ‘ગુજરાત અંધજન મહિલા ક્રિકેટ કપ’ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ અને અમદાવાદની ઓમકાર અંધજન સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 6 ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મુકાબલો વસ્ત્રાપુર (અમદાવાદ) અને રાણીપ ઈલેવન વચ્ચે ખેલાયો હતો. રાણીપની ટીમે આપેલા 124 રનના લક્ષ્યાંકને વસ્ત્રાપુરની ટીમે માત્ર 14મી ઓવરમાં પાર કરી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં વસ્ત્રાપુર, મેમનગર, તાપી, ડાંગ, અંધજન મહિલા મંડળ અને રાણીપની ટીમોએ મેદાનમાં ઉતરી પોતાની પ્રતિભા દર્શાવી હતી. વસ્ત્રાપુરની બેટર મીનાએ ફાઈનલમાં…
Read Moreવાપી જૂના બસ ડેપો પાસે ગાંજાના જથ્થા સાથે રિક્ષા ચાલક ઝડપાયો: દમણનું કનેક્શન ખુલ્યું
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે વાપી જૂના બસ ડેપોના પ્લેટફોર્મ નંબર 1 પાસે પતરાના શેડ નજીકથી રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનું નામ અનુજ રમેશચંદ્ર ચંદ્રશેખર તિવારી (ત્રિપાઠી), ઉંમર વર્ષ 31 છે, જે હાલ વાપીના ડુંગરા વિસ્તારમાં લેકવ્યૂ રેસીડેન્સીના ફ્લેટ નંબર E-1 માં રહે છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ફુલપુર તાલુકાના મહમદપુર ગામનો વતની છે અને વાપીમાં રિક્ષા ચલાવી નશાના કાળા કારોબારમાં સંડોવાયેલો હતો. પોલીસે તેની બજાજ ઓટો રિક્ષા (નંબર GJ-15-TT-4571) ની તપાસ કરતા ડ્રાઈવર સીટની નીચે છુપાવેલી કાળી સેલોટેપવાળી કોથળીમાંથી…
Read Moreઆજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ: ભારતમાં દેખાશે નહીં, પરંતુ આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી
વર્ષ 2026નું પ્રથમ સૂર્યગ્રહણ આજે મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યું છે. ખગોળશાસ્ત્રીઓના મતે આ એક ‘વલયાકાર’ અથવા ‘કંકાણકૃતિ’ સૂર્યગ્રહણ હશે, જે ભારતીય સમય અનુસાર બપોરે 3:26 વાગ્યે શરૂ થશે અને સાંજે 07:57 વાગ્યે પૂર્ણ થશે. જોકે, વલસાડ જિલ્લા સહિત સમગ્ર ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી, જેના કારણે ધાર્મિક દ્રષ્ટિએ અહીં સૂતક કાળ લાગુ પડશે નહીં. આ ગ્રહણ કુંભ રાશિમાં થવા જઈ રહ્યું હોવાથી જ્યોતિષની દ્રષ્ટિએ તેનું મહત્વ ઘણું વધી જાય છે. લવાછા સ્થિત ભવાની માતા મંદિરના પૂજારી યોગેશભાઈ મહારાજે જણાવ્યું કે, ભલે આ ગ્રહણ ભારતમાં દૃશ્યમાન નથી, પરંતુ…
Read More