દમણથી રિક્ષામાં દારૂ લાવી ઉદવાડાથી ટ્રેન મારફતે સપ્લાય કરવાનું નેટવર્ક ઝડપાયું: 5ની ધરપકડ

દમણથી રિક્ષામાં દારૂ લાવી ઉદવાડાથી ટ્રેન મારફતે સપ્લાય કરવાનું નેટવર્ક ઝડપાયું: 5ની ધરપકડ

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પારડી તાલુકાના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક આવેલા રેંટલાવ ગામ પાસે દારૂના મોટા જથ્થા સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. બુટલેગરો દમણથી રિક્ષામાં દારૂનો જથ્થો લાવીને ઉદવાડા સ્ટેશનથી ટ્રેન મારફતે સુરત અને નવસારી પહોંચાડવાની ફિરાકમાં હતા. પોલીસે સ્થળ પરથી સંજય ઉર્ફે ભયૌ (રહે. ઉદવાડા સોળ ફળીયા), મિનેષ માહયાવંસી (રહે. પારડી સરોધી), અભિષેક સોનકર (રહે. વલસાડ મોગરાવાડી), અજીતકુમાર સોનકર (રહે. વલસાડ મોગરાવાડી) અને રામલખન સોનકર (રહે. ઓરવાડ પરીયા) ની ધરપકડ કરી છે. આ સફળ રેઇડ દરમિયાન પોલીસે 3 રિક્ષા અને કુલ 1948 નંગ દારૂની બોટલો,…

Read More

વલસાડના સેગવામાં એસઓજીનો દરોડો: 74 હજારના ગાંજા સાથે 57 વર્ષીય આઘેડ ઝડપાયો

વલસાડના સેગવામાં એસઓજીનો દરોડો: 74 હજારના ગાંજા સાથે 57 વર્ષીય આઘેડ ઝડપાયો

વલસાડ જિલ્લાના સેગવા ગામમાં નશાકારક પદાર્થોના વેચાણ પર તવાઈ બોલાવતા સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લામાં કેફી દ્રવ્યોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમે સેગવા ગામે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસને 57 વર્ષીય ઉમેદભાઈ ઉર્ફ ભાણાભાઈ મગનભાઈ કોળી પટેલના મકાનમાંથી પ્લાસ્ટિકના ડબ્બામાં છુપાવેલો 1.438 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹73,900 આંકવામાં આવી છે. આ રેડ દરમિયાન ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને ગ્રામજનોમાં પણ પોલીસની આ કામગીરીને…

Read More

વલસાડના અબ્રામામાં તડકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી: ઘી ના કમળના દર્શને ભક્તો ઉમટ્યા

વલસાડના અબ્રામામાં તડકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી: ઘી ના કમળના દર્શને ભક્તો ઉમટ્યા

વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરે રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ મહાશિવરાત્રી પર્વની અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભક્તોએ પવિત્ર શિવલિંગ પર જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલીપત્ર અર્પણ કરીને ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા હતા. મહાશિવરાત્રીના આ પવિત્ર અવસરે તડકેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની પરંપરા મુજબ વિશેષ આકર્ષણ સમાન ‘ઘી ના કમળ’ ના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શુદ્ધ ઘી માંથી તૈયાર કરવામાં…

Read More

વલસાડના ચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી: હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

વલસાડના ચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી: હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

વલસાડના પારનેરા પારડી હાઇવે પર બિરાજમાન શ્રી ચંદ્રમૌલિશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ હજારો શિવભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે લાંબી કતારો લગાવી હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ મેનેજિંગ કમિટિના સભ્યો દ્વારા ભક્તોની સુવિધા માટે દર્શનની સચોટ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓએ કોઈ પણ હાલાકી વગર પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ મંદિર સંકુલની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં એક જ સ્થળે ૧૨ જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળે છે. મહાશિવરાત્રી પર્વે…

Read More

વલસાડના જલારામ મંદિરમાં બિરાજતા ‘બાપા’ના તેજસ્વી ચિત્ર પાછળ છે એક પારસી કલાકારની અતૂટ શ્રદ્ધા

વલસાડના જલારામ મંદિરમાં બિરાજતા 'બાપા'ના તેજસ્વી ચિત્ર પાછળ છે એક પારસી કલાકારની અતૂટ શ્રદ્ધા

વલસાડ શહેરના સિટી પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા સુપ્રસિદ્ધ જલારામ મંદિરમાં દર્શનાર્થે આવતા હજારો ભક્તો જે તેજસ્વી અને જીવંત ચિત્રના દર્શન કરે છે, તેની પાછળ એક અનોખી અને ભાવુક કરી દે તેવી ગાથા છુપાયેલી છે. વલસાડના મોટાપારસીવાડમાં રહેતા 74 વર્ષીય પારસી કલાકાર ફરોખ બારડોલીવાળાએ વર્ષો પહેલા માત્ર શ્રદ્ધા અને શોખના જોરે સંત શ્રી જલારામ બાપાનું 6 ફૂટનું વિશાળ તેલચિત્ર તૈયાર કર્યું હતું. આ ચિત્ર આજે પણ મંદિરની શોભા વધારી રહ્યું છે અને સાબિત કરે છે કે કલા અને ભક્તિને કોઈ ધર્મની સીમાઓ નડતી નથી. આ વાર્તાની શરૂઆત આશરે 45 વર્ષ…

Read More

આધુનિક વિકાસ અને ખેતીનો સંગમ: 84% સાક્ષરતા દર સાથે પારડીનું આદર્શ ગામ મોતીવાડા

આધુનિક વિકાસ અને ખેતીનો સંગમ: 84% સાક્ષરતા દર સાથે પારડીનું આદર્શ ગામ મોતીવાડા

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલું મોતીવાડા ગામ આજે કુદરતી સૌંદર્ય અને આધુનિક વિકાસના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અંદાજે 83.96% (84%) સાક્ષરતા દર ધરાવતા આ ગામમાં સરપંચ જયસુખભાઈ નાયકા અને તેમની ટીમ દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર ફેરફાર લાવવામાં આવ્યો છે. ગામની 70% વસ્તી આજે પણ ખેતી પર નિર્ભર છે, પરંતુ રખડતા ઢોરના ત્રાસને કારણે ખેડૂતોએ પરંપરાગત ડાંગરને બદલે હવે ઉચ્ચ ગુણવત્તાવાળી કેરી અને ચીકુની બાગાયતી ખેતી તરફ વળાંક લીધો છે. ગામના વિકાસની નવી ઓળખ સમાન નેશનલ હાઈવે-48 (NH-48) પર લગાવવામાં આવેલું “I Love Motiwada”…

Read More

વલસાડમાં 17 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે: 2.37 લાખ નામોમાં ફેરફાર, આ રીતે કરો તમારા નામની ચકાસણી

વલસાડમાં 17 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે: 2.37 લાખ નામોમાં ફેરફાર, આ રીતે કરો તમારા નામની ચકાસણી

વલસાડ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હવે તેના અંતિમ ચરણમાં પહોંચી છે. આગામી 17 ફેબ્રુઆરી 2026 ના રોજ જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ સોલંકીએ આપેલી માહિતી મુજબ, આ સુધારણા પ્રક્રિયા દરમિયાન વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ 2,37,670 મતદારોના નામોમાં ફેરફાર અથવા કમી નોંધાઈ છે. આ આંકડો સૂચવે છે કે મતદારોએ જાગૃત બનીને પોતાની વિગતો ચકાસવી અત્યંત અનિવાર્ય છે. ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં લોજિકલ વિસંગતતા (Logical Discrepancy) અને નો-મેપિંગ જેવા ગંભીર…

Read More

એકલારા ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો: વલસાડ LCB એ 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

એકલારા ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો: વલસાડ LCB એ 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતર્ક બની છે. વલસાડ એલ.સી.બી. (Local Crime Branch) ની ટીમે શનિવારે એક સફળ ઓપરેશન પાર પાડીને ભીલાડના એકલારા ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી છે. બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે દમણથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે મુખ્ય ચાલક સોનુ ઉર્ફે તેજ બહાર સરોજ ની ધરપકડ કરી છે, જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય બે શખ્સો સાવન ઉત્તમ પટેલ અને ધવલ હળપતિ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક…

Read More

વલસાડ જિલ્લામાં મહાશિવરાત્રિનો અનેરો ઉત્સાહ: જાણો તમારી રાશિ મુજબ કઈ વસ્તુથી શિવજીનો અભિષેક કરશો

વલસાડ જિલ્લામાં મહાશિવરાત્રિનો અનેરો ઉત્સાહ: જાણો તમારી રાશિ મુજબ કઈ વસ્તુથી શિવજીનો અભિષેક કરશો

વલસાડ જિલ્લામાં મહાશિવરાત્રિનો અનેરો ઉત્સાહ: જાણો તમારી રાશિ મુજબ કઈ વસ્તુથી શિવજીનો અભિષેક કરશો વલસાડ જિલ્લામાં આજે રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ મહાશિવરાત્રિ પર્વની શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મહા વદ તેરસના આ પવિત્ર દિવસે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષની શિવરાત્રિ વિશેષ ફળદાયી છે, કારણ કે આજે આખો દિવસ અને મધ્યરાત્રિએ 2:45 કલાક સુધી વ્યતિપાત યોગ રહેશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, વ્યતિપાત યોગ સામાન્ય શુભ કાર્યો માટે વર્જિત ગણાય છે, પરંતુ મંત્ર જાપ, તપ અને શિવ પૂજા માટે આ યોગ અત્યંત…

Read More

દુલસાડમાં 31 ફૂટ ઊંચા રૂદ્રાક્ષ શિવલિંગના દર્શને ભક્તોનું ઘોડાપૂર: મહાશિવરાત્રિએ વિશેષ પૂજાનું આયોજન

દુલસાડમાં 31 ફૂટ ઊંચા રૂદ્રાક્ષ શિવલિંગના દર્શને ભક્તોનું ઘોડાપૂર: મહાશિવરાત્રિએ વિશેષ પૂજાનું આયોજન

દુલસાડમાં 31 ફૂટ ઊંચા રૂદ્રાક્ષ શિવલિંગના દર્શને ભક્તોનું ઘોડાપૂર: મહાશિવરાત્રિએ વિશેષ પૂજાનું આયોજન વલસાડ-ધરમપુર રોડ પર વાંકલ નજીક આવેલા દુલસાડ ગામે આ વર્ષે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. અહીં 31 લાખ રુદ્રાક્ષ થી નિર્મિત અને 31 ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસ ના શ્રીમુખે ચાલી રહેલી શિવકથાના શ્રવણ સાથે ભક્તો આ વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના અભિષેકનો લ્હાવો લઈ રહ્યા છે. મહોત્સવના ભાગરૂપે ગત 14 ફેબ્રુઆરી ના રોજ ધાર્મિક વિધિઓની સાથે…

Read More