ઉમરગામમાં કામદારોનું શોષણ થશે તો જીઆઈડીસી બંધ કરાવી દઈશું: ચૈતર વસાવા ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓ દ્વારા સરકારના મિનિમમ વેજીસના પરિપત્રનું પાલન ન થતું હોવા તેમજ બહેન-દીકરીઓ અને શ્રમિકોના શોષણની ફરિયાદોને લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરીગામ બિરસા મુંડા પ્રતિમાથી સરીગામ જીઆઈડીસી સુધી પદયાત્રા યોજી હતી. સરીગામ બાયપાસથી નીકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓમાં સ્થાનિક કામદારોને ડોડીયા મજૂર તરીકે રાખી પગાર સ્લીપ, પીએફ, બોનસ, વીમો, ઓવરટાઈમ, ઈન્ક્રિમેન્ટ, ઈએસઆઈ જેવી સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે…
Read More