બહેજની નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અતુલ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લીધી ખેરગામ તાલુકાના બહેજ ગામની ભારતીય પ્રગતિ મંડળ સંચાલિત નવજીવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સોમવાર 1 ડિસેમ્બરના રોજ વોકેશનલ ટ્રેડ વિષય અંતર્ગત ધરમપુર–ઓઝરપાડા વિસ્તારમાં આવેલ અતુલ ઇન્સ્ટિટ્યુટની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ઉદ્યોગક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી મશીનરીઓનું રૂબરૂ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. અતુલ ઇન્સ્ટિટ્યુટના આચાર્ય, શિક્ષકો અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ અંગે સમજ આપવામાં આવી હતી તથા મશીનરીઓના કાર્યવિધી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રેક્ટિકલ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક…
Read MoreCategory: Bilimora
Bilimora News Today, Chikhli, Khergam & Vansda Updates — 01 December 2025
ખેરગામ કુમાર અને વાડ પ્રાથમિક શાળાનો PM SHREE Gujarat યોજનામાં સમાવેશ ખેરગામ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ માટે આ સમાચાર ગર્વની બાબત બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેરગામની કુમાર શાળા અને વાડ ગામની મુખ્ય શાળાનો PM SHREE Gujarat (PMSHREE-GOG Scheme) હેઠળ સમાવેશ કરવામાં આવતા શિક્ષણ ક્ષેત્રે નવી તક ઉભી થઈ છે. આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના Holistic Development ને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્ય સરકારે વર્ષ 2025-26 માટે સરકારી પ્રાથમિક શાળાઓમાં Infrastructure Development, Digital Learning તથા Co-curricular Activitiesને મજબૂત બનાવવા PM SHREE Gujarat યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત રાજ્યની કુલ…
Read More